samastkkpf@gmail.com

સભ્ય પદ

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો કોઈપણ વ્યક્તિ કે જે ૧૮ (અઢાર) વર્ષ કે તેથી વધારે ઉમરની હોય તથા બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હોય તેવી વ્યક્તિ આ અંગે જરૂરી નિયત કરેલ પત્રકો તથા એકરારનામા સંલગ્ન કરી, સભ્ય ફી ના રૂપિયા ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) ભરી આ ટ્રસ્ટ નો આજીવન (કાયમી) સભ્ય બની શકશે.

"સામાન્ય આજીવન સભ્ય"

ઉપરોક્ત પેરા માં જણાવેલ સભ્ય ને આજીવન "સામાન્ય સભ્ય" ગણવામાં આવશે.

"શ્રેષ્ઠી સભ્ય"

રૂપિયા ૨૧૦૦૦૦૦/- કે તેથી વધારે રકમનું દાન આપનારને "શ્રેષ્ઠી સભ્ય" કહેવાશે અને તે કાયમી સભ્યપદ ધારણ કરશે.

"દાતા સભ્ય"

રૂપિયા ૧૦૦૦૦૦/- કે તેથી વધારે રકમનું દાન આપનારને "દાતા સભ્ય" તરીકે ગણવામાં આવશે અને તેઓ કાયમી સભ્ય તરીકે ગણાશે.

ઉપરોક્ત તમામ પ્રકારના સભ્યો સર્વ સંપ્રદાય સમભાવ એટલેકે બિનસાંપ્રદાયિક વિચારધારામાં માનતા હોવા જોઈએ. કોઈપણ પ્રકારના સભ્ય નું સભ્ય પદ રદ થવાના સંજોગોમાં સભ્ય ફી ની રકમ પરત આપવામાં નહિ આવે.

દાન

દાન આપવા માટે આપનું સ્વાગત છે.

આ ટ્રસ્ટ ને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦(ક)(૫) હેઠળ માફીને પાત્ર છે.

અભિપ્રાય મતદાન

No Poll Yet